યજ્ઞ તથા અગરબત્તી/ધુપ ની સાત્વિકતા
યજુવૈદ માં યજ્ઞ વિશેની ઉપયોગીતા સમજાવવામાં આવી છે.
બહુજ સાદી વાત સમજવાની જરુર છે. મરચાં ને ગરમ કોલસા પર ભભરાવાથી અમુક અંતરે દુર બેઠા હોવા છતાં આપણી આંખો બળવા લાગે. આંખો નું બળવું તે મરચાંની નેગેટીવ અસર છે. તેવીરીતે તેની પોઝિટિવ અસર પણ હશે.
યજ્ઞકુંડમાં અગ્નીમાં સમીધા, સામગ્રી ની આહુતી આપવામાં આવે અને તેમાંથી જે ધુમાડો નીકળે એ વાતાવરણને શુધ્ધ કરે છે. આ ધુમાડો પ્રદુષણ ને હઠાવી ઓઝોન અને ઓક્સિજનના પ્રમાણમાં વધારો કરે છે. તેવી રીતે માત્ર અગરબત્તી કે ધુપ સળગાવાથી જે સુગંધ કે ધુમાડો પણ, જેતે જગ્યાના વાતાવરણ ને શુધ્ધ કરે છે.
જો યજ્ઞ કરવાનો સમય ન હોય તેણે અગરબત્તી કે ધુપ કરી, શુધ્ધ વાતાવરણ નો લાભ લેવો રહયો.
ડૉ. સુધીર શાહ
Posted on November 18, 2009, in ડો.સુધીર શાહ, Fragrance of Truth.., My Opinion, Sanskar, sharing and tagged astrology, યજ્ઞ, knowledge, My Opinion. Bookmark the permalink. Comments Off.